માતાજી મોગલ ના પરચા અપરંપાર છે. માતાજી મોગલ નો માત્ર નામ લેવાથી જ ભક્તોના જીવનના તમામ દુઃખો દૂર થાય છે અને માતાજી મોગલે આજ સુધી લાખો ભક્તોના દુઃખો દૂર કર્યા છે. એકવાર માતાજી મોગલ ના નામની આસ્થા બંધાઈ જાય તો માતાજી મોગલ પોતાના ભક્તોનો વાળ પણ વાંકો થવા દેતી નથી અને જો માતાજી મોગલ ને સાચા દિલથી યાદ કરવામાં આવે તો માતાજી મોગલ પોતાના ભક્તોની મદદ માટે દોડી આવે છે.
માતાજી મોગલે હજારો લાખો ભક્તોના કામ કર્યા છે ત્યારે ભક્તોના કામ પૂર્ણ થતા કચ્છના કબરાઉ સ્થિત મોગલધામ માતાજીના દર્શન કરવા અને માનતા પૂરી કરવા માટે આવતા હોય છે.એક યુવક 51 હજાર રૂપિયા લઈને પોતાની માનતા પૂરી કરવા માટે કચ્છ ના કબરાઉ આવી પહોંચ્યો હતો.તેને ત્યાં માતાજી મોગલ ના આશીર્વાદ લીધા અને
ત્યારબાદ માતાજીની સેવા કરતાં ઋષિ ચારણ મણીધર બાપુ પાસે પહોંચ્યા અને બાપુએ પૂછ્યું કે બેટા તારે શેની માનતા છે ત્યારે યુવક કે જવાબ આપતા કહ્યું કે બાપુ મારી એક પ્રોપર્ટી હતી જેમાં ભાડુઆત રહેતા હતા અને ખાલી કરતા ન હતા. મારે તે જગ્યા વેચવી હતી માટે ખૂબ જ તકલીફ આવી રહી હતી અને તેમને ઘણા પ્રયત્નો કર્યા છતાં પણ મકાન વેચાતું નહોતું
તો આખરે મે થાકીને માતાજી મોગલ ની માનતા માની અને મારી પ્રોપર્ટી વેચાઈ જાય તો હું કબરાઉ ધામ આવીને 51 હજાર રૂપિયા ચડાવીશ ત્યારે આટલું કહેતા જ મારું કામ પૂરું થઈ ગયું હતું.માતાજી મોગલ નો પરચો મળતા મારો આખો પરિવાર ખૂબ જ ખુશ થઈ ગયો હતો અને આખો પરિવાર તરત જ માતાજી મોગલ ના દર્શન કરવા માટે કચ્છ પહોંચી ગયા હતા
અને આ રકમ બાપુના હાથમાં આપી અને બાપુએ તે રકમ પરત આપતા કહ્યું કે પૈસા તું તારી બેન અથવા દીકરીને આપી દેજે.આ કોઈ માતાજી મોગલ નો ચમત્કાર નથી પરંતુ માતાજી ઉપર તારો જે વિશ્વાસ અને શ્રદ્ધા છે તેના કારણે તારું કામ થયું છે. માતાજી મોગલ ને કોઈ રૂપિયા સોનુ કે ચાંદી ની જરૂરિયાત નથી તે તો માત્ર ભાવની ભૂખી છે અને માતાજીને માત્ર પ્રેમ આપતા રહો તો માતાજી અનેક ગણો પ્રેમ તમને વળતર તરીકે આપશે.