કચ્છમા બેઠેલ આશાપુરા માતાજીના ફોટાને સ્પર્શ કરી આશિર્વાદ મેળવો, ફક્ત બે દિવસમા જ તમારી બધી મનોકામનાઓ પુર્ણ થશે

આપણા ભારત દેશમાં આશાપુરા માતાજીના મંદિર અનેક જગ્યાએ આવેલા છે. પણ આ કચ્છમાં આવેલું આશાપુરા માતાજીનું મંદિર ખૂબ જ સુંદર અને વર્ષો પુરાનું છે. આ મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. આ મંદિરને માતાના મઢ તરીકે પણ ઓળખાય છે.

એકવાર આ મંદિરના દર્શન કરી કોઈપણ માનતા રાખો તો તેન આશાપુરા માં પૂરી કરે છે. દરેક ભક્તોની મુશ્કેલીઓ આશાપુરા મા દૂર કરે છે.આથી જ માં આધ્યા શક્તિ ના સ્વરૂપને ભક્તો ભજે છે. માં આશાપુરાનો માતાનો મઢ આશરે સો કિલોમીટર દૂરના અંતરે મા આશાપુરાનું મંદિર આવેલું છે.

આ મંદિરની આજુબાજુ નાની ટેકરીઓ અને પર્વતો આવેલા છે. આ મંદિરમાં માતાજીની મૂર્તિ 6 ફુટ ઊંચી અને છ ફુટ પોહરી મૂર્તિ આવેલી છે. આ મૂર્તિ સ્વયંભૂ મૂર્તિ તરીકે પ્રગટ થયેલી છે. આ મૂર્તિ ની સાઈઝ ઘૂંટણ સુધીની જ છે પણ મનુષ્યના શરીર કરતાં ઊંચી છે.

માતાજીનું મંદિર આશરે ચૌદમી સદીમાં નિર્માણ થયેલું છે. એટલે કે 550 વર્ષ પહેલાનું છે. આ મંદિર રાજાશાહી દરમિયાન બનાવવામાં આવ્યું હતું. આ મંદિરમાં બારેમાસ પદયાત્રીઓ માના દર્શન માટે આવે છે. માતાજીની આકરી બાધાઓ અને માનતાઓ પૂરી કરવા અહીં ભક્તોની ભારે ભીડ હોય છે.

મા આશાપુરા મઢમાં બિરાજમાન હોવાથી દેશ-વિદેશમાં આ ધામ પ્રસિદ્ધ છે.માતાજીના દર્શન માટે પહોંચો તે પહેલા ચુંદડી, પ્રસાદી અને પુષ્પો લઈને ભક્તો મંદિરમાં દર્શન માટે જાય છે. મા આશાપુરા ના ગર્ભગૃહમાં અને માતાના અલૌકિક સ્વરૂપને દર્શન કરી ભક્તો ધન્ય બને છે.

મઢવાળી માતાના સ્વરૂપને આકર્ષિત કરે તેવું દિવ્ય સ્વરૂપ છે. આશાપુરા માના સાત નેત્રમાંથી ચાર જ નેત્રો જોવા મળે છે.માતાજીના આ નેત્રોનું પણ વિશેષ મહત્વ ધરાવે છે. જે કોઈ ભક્તની આંખની રોશની ન હોય તે આ મંદિરે આવીને માનતા રાખે છે. માં આશાપુરા તેમનો અંધકાર દૂર કરે છે.

જે ભક્તો માતાજીની સાચા મનથી ભક્તિ કરે છે અને માનતા રાખે છે તો માતાજી તેમની દરેક ઈચ્છા પૂર્ણ કરે છે. તેમની માનતા પૂરી થતાં ભક્તો માતાજીના દર્શન માટે અહીં આવે છે. મા આશાપુરાનું અનોખું સ્વરૂપ જોવા મળે છે.

માતાના મઢમાં દોઢહજાર વર્ષ પહેલાં દેવચંદ નામનો વાણિયો અહીંયા વેપાર કરવા માટે આવ્યો હતો. આજે જ્યાં માતાજીનું મંદિર છે તે જગ્યાએ આ વાણિયો વેપાર અર્થે આવ્યો હતો. તે જગ્યાએ માતાજીની નવરાત્રીની સ્થાપના કરી હતી. તેની ભક્તિ અને આસ્થા જોઈને માતાજી તેને પ્રગટ થયા હતા.

 તેના સપનામાં આવીને કહ્યું હતું કે આ જગ્યા પર માં આશાપુરા નામનું મંદિર બનાવ અને સાથે સાથે ચેતવણી પણ આપી હતી કે આ મંદિર છ મહિના સુધી ખોલવું નહીં. દેવચંદ વાણીયા ને તો ખુશીનો પાર ન રહ્યો અને તે જગ્યાએ  આશાપુરા માનુ મંદિર બનાવ્યું. આ વાણિયો મંદિરની રખેવાળી કરવા માટે અહીંયા જ રહી ગયો.

આમ જોતા જોતા પાંચ મહિના વીતી ગયા. દેવચંદ વાણીયા ને તો મંદિરના પાછળ ગીતની મધુર ધ્વનિ સંભળાવા લાગી. દેવચંદ વાણીયા ને તો રહેવાયું નહીં અને મંદિરના દ્વાર ખોલી નાખ્યા. ત્યારે માનું અડધું સ્વરૂપ જ પ્રગટ થયું હતું. દેવચંદની ભૂલના કારણે માતાજી સમક્ષ માફી માગી અને માતાજી તેની ભક્તિ જોઈને તેને માફ કરી દીધો અને વરદાન માંગવા કહ્યું.

દેવચંદ વાણીયાએ માતાજી પાસે પુત્રની માગણી કરી હતી. માતાજીએ તેની આશા પૂરી કરી. તેથી જ માં ઓળખાયા આશાપુરા માં માતાના મઢ તરીકે.જય આશાપુરા માતાજી સૌનુ કલ્યાણ કરો.

Leave a comment