દોસ્તો આપણા વાસ્તુશાસ્ત્રમાં પીરામિડને લઈને એક અલગ માન્યતા રાખવામાં આવેલી હોય છે. જે ઘરમાં વાસ્તુદોષ હોય છે તે ઘરમાં તાંબા, પિત્તળ અથવા ચાંદીનો પિરામિડ રાખવામાં આવે તો તે ઘરની પ્રગતિ થાય છે અને વાસ્તુદોષથી મુક્તિ મળે છે. વળી તેનાથી ઘરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર પણ થતો હોય છે અને તમારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો નથી.
જો તમે પોતાના ઘરને શાંત બનાવીને રાખતા હોય અને રોજની મગજમારીથી છુટકારો મેળવવા માંગતા હોય તો તમારે ચાંદી અથવા પિત્તળની બનેલી હાથીની મૂર્તિ ઘરે લઈને આવવું જોઈએ અને તેને ઘરમાં મૂકવી જોઈએ. કારણ કે હાથીની ઐશ્વર્યના પ્રતિ તરીકે ઓળખવામાં આવે છે અને તેને ઘરમાં લાવવાથી માતા લક્ષ્મી સ્વયં ઘરમાં આવે છે.
હિન્દુ ધર્મમાં માછલીને તરક્કી સાથે જોડવામાં આવે છે. વાસ્તુશાસ્ત્રના નિષ્ણાત લોકોનું કહ્યું છે કે જો તમે માછલીની ચાંદીની અથવા પિત્તળની મૂર્તિ રાખો છો તો તમે ઘરમાં પ્રગતિ કરી શકો છો અને આવકના સાધનોમાં પણ વધારો થાય છે. વળી ઘરમાં અપાર ખુશીઓ આવે છે.
જો તમે હનુમાનજીના નામનો જાપ કરો છો તો તમારા બધા જ દુઃખો દૂર થઈ જાય છે પરંતુ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘરમાં જ પંચમુખી હનુમાનની તસવીર રાખવામાં આવે તો તેનાથી આર્થિક સ્થિતિ મજબૂત બને છે અને તમે કોઈ પણ પ્રકારની પરેશાનીઓનો સામનો કરતા નથી.
આ જ ક્રમમાં હિન્દુ ધર્મમાં કાચબાની ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને એક માન્યતા પ્રમાણે કાચબામાં ભગવાન વિષ્ણુનો વાસ થયેલો હોય છે. જો તમે ઘરમાં કાચબાની મૂર્તિ સ્થાપિત કરો છો તો તેનાથી તમારા ઘરની બરકતમાં વધારો થાય છે અને તમે આર્થિક રીતે સધ્ધર બની શકો છો.