આજના સમયમાં મોટા ભગના લોકોનાં આસ્થાનું પ્રતિક એટલે મોગલમાં. મોગલ માતાનાં ધામોમાં ગુજરાતમાં ઘણી જગ્યાએ આવેલા છે.જેમાં ભગુડા ઓખાધરા કાબરાઉ વગેરે માતાના મુખ્ય ધામ છે.જ્યાં દિવસ દરમિયાન હજારો ભક્તો માતાના દર્શને જાય છે.માતાજી મુખ્ય તો ચારણ કુળના દેવી છે.
પણ મોગલ માતાને અઢારે વર્ણના લોકો પૂજે છે.બધા જ ધર્મના લોકો મોગલ માં પર શ્રધ્ધા રાખે છે.માતાજીના પરચા આજના સમય હળાહળ કળયુગમાં પણ અપરંપાર છે.લોકોમાં માતાજીની શ્રધ્ધા અને કૃપા છે કે મોગલ માં ના નામ પર ખોટા સોગંધ ન ખાઇ શકાય.
મોગલ માં ના મંદિરમાં કોઇ દિવસ ઊંચનીચના ભેદભાવ કરવામાં આવતો નથી.દરેક લોકોને એક સરખા માનીને મંદિરમાં જવા દેવામાં આવે છે.મોગલ માંએ પોતાના પરચા અનેકવાર શ્રધ્ધાળુને બતાવ્યા છે.મોગલમાં ના દર્શન કરવા ફક્ત ગુજરાતના જ નહી ભારતભરમાંથી લોકો આવે છે.
મોગલ માંના પરચા વિશે વાત કરીએ તો થોડા સમય પહેલા એક યુવક પોતાની દિકરીને લઇને મોગલ ધામ માનતા પૂરી કરવા આવ્યો.ત્યાં જઇ મોગલ માંના દર્શન કર્યા અને આશીર્વાદ લીધા.દિકરીને વિદેશ જવાનું હતું અને વિઝા મળતા ન હતા તેના કારણે ખૂબ પરેશાન હતા.પિતાએ પોતાની દિકરી માટે મોગલ માંની માનતા રાખી હતી.
મણિધર બાપુએ દિકરીને આશીર્વાદ આપ્યા અને કહ્યું શેની માનતા હતી ત્યારે દિકરીના પિતાએ કહ્યું હતું કે દિકરીને વિદેશ જવું હતું પણ વિઝા મળતા ના હતા.તેના માટે મોગલ માંની માનતા રાખી હતી.
જો દિકરીને વિઝા મળી જાય તો તમારા ચરણોમાં 5500 ચઢાવીશ પછી થોડા દિવસોમાં મારી દિકરીને વિદેશ માટે વિઝા મળી ગયા.આખો પરિવાર ખુશ થઇ ગયો હતો. પરિવાર તરત જ માનતા પૂરી કરવા માટે મોગલ માં ના દર્શન માટે આવી પહોંચ્યા હતા.બાપુને 5500 રૂપિયા આપ્યા હતા.
ત્યારે મણિધર બાપુએ 5500 રૂપિયા લઇ તેમાં 1 રૂપિયો ઉમેરીને દિકરીને પરત આપ્યાં હતા.કહ્યૂં કે મોગલ માંએ તારી માનતા 21 ગણી સ્વીકારી લિધી છે.મોગલ માં ને પૈસાની જરૂર નથી મોગલ તો માત્ર ભાવના ભૂખ્યા છે.