આજકાલ માણસને પોતાના જીવનમાં સુખ અને સમૃદ્ધિ અને યશ મેળવવા દરેક પ્રકકરની મેહનત કરતો હોય છે. સારી સુખ અને સુવિધાઓ ભોગવવા માટે માટે સારા પોતાના જીવનમાં સારા કર્મ કરવા ખૂબ જ જરૂરી છે. જ્યોતિષશાસ્ત્રમાં એવા ઘણા ઉપાયો બતાવવામાં આવ્યા છે જે મનુષ્યના જીવનને સરળ બનાવી દે છે અને તેમના જીવનમાં સકારાત્મકતા લાવે છે.
એક વાત યાદ રાખો ઘરના મંદિરમાં હંમેશા ચોખ્ખાં ઘી નો જ દીવો પ્રગટાવવો જોઈએ. આનાથી પરિવાર પર દેવી અને દેવતાઓની કૃપા હંમેશા માટે વરસતી રહે છે. તમારા ઘરની આર્થિક સ્થિતિ મજબૂત બને છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે.
હવે જો તમે શનિ દેવને પ્રસન્ન કરવા માંગો છો તો તમારે સરસિયાનુ તેલ ચડાવવાનો ચડાવવું પડશે. માટે દર શનિવારે શનિ દેવના મંદિરમાં જઈને સરસિયાના તેલનો દીવો પ્રગટાવવો લાભકારી માનવામાં આવે છે. આ ઉપાય કરવાથી શનિદેવ તમારા બધા કષ્ટો દૂર કરશે અને આર્થિક સ્થિતિ મજબૂત બનશે.
આજના દિવસે તમે માં સરસ્વતી ને પ્રસન્ન કરવા માંગો છો તેમના સામે દ્વિમુખી દીવો પ્રગટાવવો જોઈએ. જો દ્વિમુખી દીવો ન હોય તો સામાન્ય દીવામાં બે વાટ કરીને દીવો પ્રગટાવી દેવો જોઈએ. પરંતુ દીવો શુદ્ધ ઘી અથવા તલના તેલનો હોવો જોઈએ. માં સરસ્વતી તમારા પર પ્રસન્ન થશે અને તમને શિક્ષણમાં આવતી બધી અડચણોને દૂર કરશે.
તમને ખબર જ હશે કે રાહુ અને કેતુ ને બે પાપી ગ્રહ માનવામાં આવે છે. જો તમે રાહુ અને કેતુ ને પ્રસન્ન કરો છો તો તે તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિથી ભરી દે છે. તેથી તમારે અળસીના તેલનો દીવો તેમની સામે અવશ્ય પ્રગટાવવો જોઈએ. જેથી તમારા અને તમારા પરિવાર પર આવેલી દરેક ખરાબ પરિસ્થિતિ ને તે દૂર કરી દેશે.
ભગવાન ભૈરવ સાધના અથવા શત્રુ નાશ માટે પણ ભૈરવ ભગવાનની પ્રતિમા સામે સરસિયાના તેલનો ચાર મુખી દીવો પ્રગટાવવો આમ કરવાથી તમારા શત્રુઓનો નાશ થાય છે અને જીવનની ઘણી મુશ્કેલીઓ દૂર થાય છે.