દરેક ના કુળ પ્રમાણે કુળ દેવી કે દેવતા હોય છે, જેની અસીમ કૃપા થી તમારો પરિવાર સુખ, શાંતિ, અને સલામતી અનુભવતો હોય છે.
જે કદાચ તમે કરોડો રૂપિયા કમાતા લોકો ના ઘર મા નહીં જોઈ શકો, તેવું આધ્યાત્મિક તેજ અને સંતોષ તમારા પરિવાર મા જોવા મળશે.. અને આ એક સત્ય હકીકત છે…
વર્ષ મા એક વખત શક્ય હોય તો અવશ્ય કુળ દેવી કે કૂળ દેવતા ની મુલાકાત લો. વર્ષ દરમ્યાન નો જીંદગી નો થાક ઉતરી ગયા નો અહેસાસ અવશ્ય થશે.
જીંદગી મા પડતી મુશ્કેલી અને આવનાર મુશ્કેલી માટે માર્ગદર્શક બની તમારી રક્ષા કરશે..
ખોટા નિર્ણય લેતા રોકશે, અને સાચા નિર્ણય માટે માર્ગદર્શક બની તમારી આગળ ચાલશે.
આ જે વ્યકતી ને એહસાસ અને અનુભવ થતો હોય તેના માટે છે.. આમા તાર્કિક દલીલ ને કોઈ સ્થાન નથી..
ઘણા લોકો કહે છે.. બધું નસીબ થી ચાલે છે… અરે ભાઈ બધું નસીબ થી ચાલે છે.. તો બીમાર પડે છે તો હોસ્પીટલ મા કેમ જાય છે? મૂકી દે તારી જીંદગી ને નસીબ ના ભરોસે
તેનું કારણ માં ની કૃપા જ હોય શકે…
તમને અસહ્ય પીડા થતી હોય તો સર્જન ઘરે ના આવે, તમારે હૉસ્પિટલ મા જવું પડે તેની જેમ અમુક જીંદગી ના દુઃખ એવા હોય છે.. જે ના કેહવાય ના સહેવાય તેવા હોય છે.. આવા સમયે એક જ ઉપાય… કુળ દેવી નું શરણ…તેથી તો તેને શક્તિપીઠ કહે છે..